ઊંચા ટકાની રેસમાં ફેંકાતા હજારો બાળપણ અને એમના કાતિલ માબાપ

sorath-ni-rasdhar

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. એમાં પણ બાળકોને તો એ હદે ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે કે હું ભગવાનને માનતાઓ માનીશ કે આ બાળકો જ મોટા થઈને એમના માબાપોને એકલા મૂકી દે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર પ્રાઉડ લઇ રહી છે! શર્માજીના બેટાઓની લાઈનો લાગી છે, અને વાંક એમાં શર્માજીનો છે. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક કબૂતરને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે અને એમને એમ છે કે અમારો બેટો કે બેટી તો કેટલો ટેલેન્ટેડ છે, ઉડે છે! તબલો ટેલેન્ટેડ. મૂરખ પ્રજા સાલી…ગમે એટલું સમજાવો આ માબાપ નામની ફ્લોપ જીંદગીઓને, પરંતુ પોતાના સમજી-વિચારીને પેદા કરેલા બાળકને મોંઘીદાટ પણ વાહિયાત સ્કૂલમાં સાત-સાત કલાક ભણવા ઉપર ભાર દેશે, વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટ્યુશન ભેગો! આતે કેવી જિંદગી આપો છો એને? ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક ‘સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં ‘માબાપે પસંદ કરેલા દોસ્તો ભેગું’ જ રમવાનું, અને પેલાની રમત ચાલુ થતી હોય ત્યાં સાંજનું જમવાનું, અને પછી મા-બાપનો સિરીયલોનો સમય! અને પછી થોડીવાર આખા પરિવારે મોબાઈલમાં રમીને સુઈ જવાનું!

આવી જીંદગી હોય બાળકની? આ શું બનશે એની ઉપાધી છે તમને? તો લો હું સાચું કહું: પહેલા તો તમે પોતે જીંદગીમાં ફ્લોપ છો. જાતને પૂછો તમે કશું ઉકાળી શક્યા નથી, અને હવે તમને એમ છે કે તમારા છોકરા તમારું નામ રોશન કરશે! તબલો પણ નહી થાય. તમે જે આશાઓ-અપેક્ષાઓ લઈને આ છોકરાની વીસ વર્ષની જીંદગી જીવી દો છો ને એ એકદિવસ જ્યારે છૂટો પડશે પછી રીટર્ન નહી આવે. લખી લેજો. તમે એને જેટલો બાંધો છો એ એટલો ભાગશે. આ એકવીસમી સદીનો જીવ છે, એને તમે ટ્રેઈન કરશો તો વેવલો-મેપલો-અળસિયા જેવો થઇ જશે, અને જો એને દિવસના ત્રણ-ચાર કલાક એની રીતે મોકળો મુકશો તો જગતને પોતાની સ્કૂલ સમજીને એટલું શીખશે કે જે તમારી સ્કૂલો અને ટ્યુશનો સાત જનમમાં ન શીખવી શકે. ચારે બાજુ અડધું અંગ્રેજી અને અડધું ગુજરાતીમાં બફામબાફ કરતા માબાપો અને છોકરાઓની એવી પેઢી દેખાય છે કે જેને પાવલીની પણ અક્કલ નથી કે બાળપણ કેટલું કિંમતી છે, એને જીવવા દો, એને સવાલો પૂછવા દો, એને જવાબો શોધવા દો, બહાર રસ્તા પર રખડવા જવા દો, એને જે કરવું હોય એ બેફિકર બનીને કરવા દો, એને છૂટો મૂકો ભાઈ..પ્લીઝ.

sorath-ni-rasdhar

ફરીથી કહું છું આ બાળકોની પેઢી અપડેટ થઈને આવતી હોય છે. એમને માઉસ કેમ પકડવું કે મોબાઇલમાં ગેમ કેમ રમવી એ શીખવવું નહી પડે. એમના સવાલો અલગ હશે, જવાબો અલગ હશે. એની ‘સામે’ પગલા ન ભરો, એની ‘સાથે’ પગલા ભરો. એને સ્કૂલ-ટ્યુશનના ઝેરી ચક્રોમાં દોડાવીને રેસના ઘોડા ન બનાવો, એને એના દોસ્તારો સાથે રખડવા દો, ઝઘડવા દો, કોઈના બે લાફાં ખાવા દો, અને અન્યાય થતો હોય તો કોઈને બે લાફા મારીને આવે એવી અંદરની તાકાત જાતે એકલા કેળવવા દો. એને શીખવો કે રસ્તા પર કેમ ચાલવું, અને કેમ રસ્તો ક્રોસ કરવો, પણ એને ઘરમાં પૂરી રાખીને કે મોબાઈલ આપી દઈને ગોંધી ન રાખશો પ્લીઝ. જે કૂદરતી છે એ થવા દો. આજે શેરીમાં ખુલ્લે પગે દોડ્યો હશે તો ભવિષ્યમાં ક્યારેય એકેય ક્ષેત્રમાં પોતાના પગમાં પડતા છાલાની ઉપાધી નહી કરે. આજે માટી-ધૂળમાં રમ્યો હશે કે અંધારામાં મોડી રાત સુધી ક્યાંય બહાર રખડયો હશે તો કાલે ઉઠીને મૂંછે વળ દઈ શકે એવો મરદ કે મારફાડ વંટોળ જેવી વીરાંગના પેદા થશે. સતત ભણાવીને કે ચોપડા આપ્યા કરીને તમે એનું બાળપણ મારી નાખો છો. આ જગતના સૌથી મોટા ખૂની માબાપ છે જેમને એમ જ છે કે એક જીવ પેદા કર્યો એટલે એ એનો થઇ ગયો અને એના બાળપણથી લઈને જવાની બધું મારી નાખો તો જગત સજા નહી કરે. આ એકવીસમી પેઢીના માબાપ કઈ પાછા ગમાર કે અભણ નથી! બધા સ્કૂલે ગયેલા છે અને એમણે પોતે જીંદગીભર શિક્ષણપ્રથાને અને સ્કૂલને ગાળો જ આપી છે. પોતાની ફ્લોપ લાઈફમાં સવારથી સાંજ સુધી કશું ઉખાડી શક્યા નથી એટલે છોકરાના જીવન જીવી દેવા ઉભા થયા છે. એમને કડવી વાત કહો એટલે કહેશે કે પણ શું કરો બધાના છોકરાઓ આજકાલ આવી રીતે જ…

અલ્યા તારી તે ભલી થાય. થૂં…
જુઓ. સમજો: દરેક બાળક બાળપણથી હોંશિયાર હોય છે. એકનો એક પેદા કર્યો હોય, અને રસ્તે રખડશે, અને કોઈ વાહનની ઠેબે ભૂલથી આવીને મરી જશે એવું લાગતું હોયને તો છોકરા પેદા જ ન કરાય. હવે પેદા થઇ ગયા છે તો એને દિવસના અમુક કલાક એની પોતાની જીંદગી આપો. સાવ છૂટો મુકો. મોબાઇલ-ટીવી-સાઈકલ-સ્પોર્ટ્સ-બુક્સ-ક્રિકેટ-અક્કડમક્કડ કે થપ્પોદા જે રમે રમવા દો, ટ્યુશન ના મોકલો પ્લીઝ. એમને ભવિષ્યની ટ્રેનીંગ દેવાની જરૂર નથી. તમે ખૂદ ટ્રેનીંગ લો તમારી ફ્લોપ લાઈફને બેટર બનવવાની. આખા દેશમાં હજારો બાળકો ભણતરના ભારને લીધે સુસાઈડ કરે છે. હજારો! માસ મર્ડર છે આ! ધોળું ખૂન. જીવવા દો એને. એ જેમાં ખુશ રહે એમાં રહેવા દો. બીજીવાર કહું છું: એની સામે પગલા ન ભરો, સાથે પગલા ભરો. એને હજાર સવાલ કરવા દો, અને તમારામાં ત્રેવડ હોય તો એના લાખ જવાબ શોધી આવો. એને જેટલો પાળેલા કૂતરાની જેમ સાચવશો એટલો ગેંગો-પેપો-માવડિયો-રોટલો બનશે. ખૂમારી-હિંમત-અને પ્રતિભા ખીલવવી હોય તો એના ગળા પર મુકેલા ધોંસરા કાઢીને પોતાના ડીઝાઇન કરેલા ખેતરમાં એને બળદની જેમ હાંકવાનું બંધ કરો. ઠોઠ નિશાળીયો ભલે બને. બનવા દો. આપણા ભણતર આમેય તમને ક્યાં કામ આવ્યા છે તે એને આવશે એમ સમજીને એને માત્ર સ્કૂલમાં જરૂરી મદદ કરો. ટ્યુશન કે રીઝલ્ટની રેસમાં ન ચડાવો પ્લીઝ. આવી આજીજી એટલે કરું છું કે મેં રીતસર એન્જીનિયર બનીને પણ પોતાની નિષ્ફળતાઓ માટે માબાપને કોસતા મૂરખાઓના ટોળાઓ જોયા છે. બાળકના કરિયર પ્લાન ન કરો પ્લીઝ. એને સમય પર છોડી દો. મોટો થશે ત્યારે જોયું જશે, પહેલા એને જીવવા દો. તમારા જે ધર્મ, રૂપિયા, સમાજ, અને જીવન પ્રત્યેના વિચાર છે એ તમારા સમયમાં સાચા હશે, પણ આ બાળકો મોટા થશે એટલે બધું બદલી જવાનું છે. તમે બહુ શીખવશો તો જ્યારે એ શીખશે અને એના જમાનાનું જ્ઞાન મેળવશે ત્યારે ખોટા પાડીને પછવાડા પર એવી લાત આપશે કે જીવનભર પસ્તાવો થશે કે આને કેમ પેદા કર્યો.

sorath-ni-rasdhar

ગુજરાતી મિડીયમમાં મૂક્યો હોય તો ઘરે ‘એને ગમે ત્યારે જ’ બેસાડીને સારું અંગ્રેજી શીખવો, અને અંગ્રેજીમાં મૂક્યો હોય તો ઘરે એને સારું ગુજરાતી શીખવો. બસ. વાર્તા પૂરી. આ સાર છે તમારા બાબા-બેબીને ક્યાં મીડીયમમાં મુકવું એનો. (બાબા શબ્દ ગુજરાતીઓએ પેદા કરેલ છે.) એની ડીબેટ ના હોય કે હજાર માણસને પૂછવાનું ન હોય. તમારે ઘરે કેવું વાતાવરણ છે એમાંથી એ વધુ શીખશે. અને તમે જે અંગ્રેજી-ગુજરાતી મિક્સ કરીને એને દુનિયાદારી શીખવો છો એ ભવિષ્યમાં એને ખુબ કનડશે. એ ક્યાંયનો નહી રહે. સારું અંગ્રેજી આવડે તો તમારી સાથે ગુજ્જુ કોમ્યુનિકેશન ટાળશે, અને ગુજરાતી જ ખાલી આવડે તો તમને કોસશે કે અંગ્રેજી કેમ શીખું? જ્ઞાનને કોઈ ભાષા નડતી નથી. એની ભૂખ હોય છે. જ્ઞાનની ભૂખ હોય એ બધું શીખી લે છે. આ જ્ઞાનની ભૂખ બાળપણમાં રખડવા દેશો, અને ભૂલો કરવા દેશો એટલે આપોઆપ જાગશે. ક્યારેક ગટરમાં રખડે તો પગ ગંદો થશે પણ શારીરિક રીતે રોગ-પ્રતિકારક શક્તિ વધશે, અને માંદો ઓછો પડશે. વરસાદમાં પલળે તો કુદરત શું છે એ આ જમાનામાં ખબર પડશે. બાકી તો તમારી જેમ જ મોટો થઈને ફ્લોપ જીંદગી જીવવા માટે પોતાના બાળકોને શીખવતો રહેશે. માબાપ પર પ્રાઉડ નહી હોય. અને આ બધું જ તમે જાણો છો. ખેર…

છેલ્લી આજીજી: એ ક્યારેક એમ કહે ને કે મને વાર્તા સંભળાવો કે અમુક પુસ્તકો લઇ આપો…તો પ્લીઝ પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરી લેજો. એ બેડટાઈમ સ્ટોરી સાંભળવા માંગતો હોય તો રોજે તૈયારી કરીને એની પાસે જજો. જેઠાલાલના સંસ્કારી એપિસોડ કરતા તેને લાખો કલ્પના ભરેલી વાર્તાઓ કહેજો, પુસ્તકો વાંચતા શીખવજો. આ ભાથું એ બાળપણમાં જ માગશે, અને જો આપ્યું તો દેશનો સારો નાગરિક બનીને નામ રોશન કરશે. પરંતુ એને સ્કૂલ-ટ્યુશનના હોમવર્ક ઢસરડા કરીને ઊંચા ટકાની રેસમાં ન ફેંકશો. પગે લાગુ.

જીવનમાં ઉતારવા જેવા સરસ અનમોલ વચનો….


*  પોતાની કમાણી કરતા ઓછો ખર્ચો થાય એવી લાઈફ જીવો.

*  દિવસમાં ઓછામાં ઓછા ૩ લોકોની પ્રશંસા કરવી.

*  પોતાની ભૂલ કબુલવામાં ક્યારેય સંકોચ ન કરવો.

*  તમારી પાછળ રહેલ વ્યક્તિને પણ ક્યારેક-ક્યારેક આગળ જવાનો ચાન્સ આપવો.

*  સફળતા એને જ મળે છે જે કંઇક કરે છે.

*  સફર ખૂબસૂરત છે મંઝીલ કરતા. તેથી લાઈફના દરેક સ્ટેજ (અવસ્થા) પર નાની નાની વાતોમાં ખુશી મહેસુસ કરો.

*  મૂરખ લોકો બીજાના પર હસે છે અને બુદ્ધિમાન પોતાની જાત પર.

*  કોઈ પાસેથી કંઇક જાણવું હોય તો વિવેકથી બે વાર પુછો.

*  ભગવાન પર વિશ્વાસ રાખો.

*  સફળતા મોડી મળે તો નિરાસ ન થવું કેમકે મકાન કરતા મહેલ બનાવવામાં જ વધારે વાર લાગે છે.

*  બીજા લોકોને નીચા દેખાડવા કે તેના વિષે અપશબ્દ કહેવાની ભાવના ટાળવી.

*  જે તમારી પાસે હોય તેમાં જ સાચી ખુશી છે અને તેને જ સૌથી મોટી ખુશી માની આનંદ કરવો. કેમકે તમને જે મળ્યું છે તેટલું બીજાને નથી મળતું.

*  તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે: તમારી હસી પાછળનું તમારું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા મૌન નું કારણ.

*  જયારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જયારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે.

*  યાદ રાખો: દુનિયામાં તમને કોઈ સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર માનવો જોઈએ જેમને તમને સમજવાની કોશિશ તો કરી છે.

*  જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.

*  અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી..!!

*  શાંતિ મનને આરામ આપે છે. મન શરીરને આરામ આપે છે. ઘણીવાર આરામરૂપી દવાની જ માત્ર જરૂર હોય છે.

*  એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.

*  તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે (શબ્દો) તે મહત્વનું છે.

*  જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે ઇચ્છીએ છીએ.

*  આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત જ છે.

*  જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.

ગમે તો લાઇક અને શેર કરવા વિનંતી.

આપણી પાસે જે વસ્તુઓ છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જ સાચું જીવન!


એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા.

પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા, ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા, એ અચાનક ઉભા થયા અને કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા,, ‘ડીયર સ્ટુડન્ટ’ હું તમારા બધા માટે ગરમા ગરમ ‘કોફી’ બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે ‘કપ’ લેતા આવો.

છોકરાઓ ઝડપથી અંદર ગયા ત્યાં જાત જાતના કપ મુક્યા હતા, બધાજ પોતાના માટે સારામાં સારોકપ શોધવા લાગ્યા.કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

બધાના હાથમાં કોફી આવી ગઈ પછી પ્રોફેસર સાહેબ બોલ્યા, “જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.” જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે.. ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો, એ તો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે કોફી પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું એ માત્ર કોફી હતી, કપ નહિ. છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને નિહાળવા લાગ્યા.

હવે એક વાતને દયાનથી સાંભળો, “આપણું જીવન કોફી સમાન છે આપણી નોકરી, પૈસા, પોઝીશન કપ સમાન છે. એ બસ જીવન જીવવાના સાધનો છે ખુદ જીવન નહિ… અને આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવન ને ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે. કોફી ની ચિંતા કરો, કપ ની નહિ…

દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ માણે છે અને ભરપુર જીવન જીવે છે.

* સાદગી થી જીવો,
* સૌને પ્રેમ કરો,
* સૌનો ખ્યાલ રાખો,
* જીવન નો આનંદ લો.
* એકબીજા સાથે જોડાયેલા રહો.
* આ જ સાચું જીવન છે.

ગમે તો લાઈક અને શેર કરવા વિનંતી.

સ્ટોરી : તમારી ગેરહાજરીમાં કેટલાને તમારી ખોટ પડી?


જીવનના સાત પગલા….

(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે…..

(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝૂનુન છે, ફના થવાની ઉમ્મીદો . અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે… નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે… ધર્મ-કર્મનો હિસાબ થશે… સ્વર્ગ-નરકનો માર્ગ થશે…. પોતાનાનો પ્યાર છુટશે……… અને… સાત પગલા પુરા થશે….. માટે.. સાત પગલાની.. પાણી પહેલા પાળ બાંધો….

જીવનમાં આ વાત હંમેશાં યાદ રાખવી....

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે… તે .. પોતે જ… ચાલાક છે…! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને… પહેરવા કપડા, રહેવા ઘર અને.. બે ટાઇમ અન્ન મળતું હોય તો… ઉપરવાળાનો આભાર માનજો.. તમારાથી બીજા કેટલા સુખી છે.. તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે.. તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી?તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

ગમે તો લાઇક અને શેર કરવા વિનંતી.

વિશ્વ યોગ દિવસ પર યોગ વિષે જાણવા જેવી અમુક બાબતો


યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ  એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.

યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”

યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તિઓએ સહકાર આપ્યો છે. વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરી છે જેમાં અમેરિકા, ચીન, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેંદ્રો, યોગ સ્પર્ધાઓ અને ઘણી વધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બન્ને લગભગ એકસાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર શરીરમાં અન્યત્ર આડ-અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા માટે છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની પ્રકૃતિ, કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ, ઉમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરીયાત અને રૂચી પ્રમાણેના આસનો કરી શકે છે.

રાજપથ દિલ્લી ખાતે 2015 માં યોજાયેલી યોગ દિવસની ઊજવણીમાં 35984 લોકોએ ભાગ લીધો જે યોગના સૌથી મોટા સત્ર તરીકે એક વર્લ્ડ રેકોર્ડ છે. સાથે સાથે 84 દેશોના પ્રતિનિધિમંડળે પણ રાજપથ ખાતે એક સાથે આ દિવસની ઉજવણી કરી તે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.

યોગદિવસ શા માટે ?
  • યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા
  • લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે
  • દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા
  • સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા
  • લોકોને તણાવ મુક્ત બનાવવા
  • યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા
  • લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકે છે.

જાણો છો… કેમ હું મારી દીકરીને પત્ની કરતા વધુ પ્રેમ કરું છુ ?


સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ?

દિકરી એટલે શું ?

દિ – દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.....
ક  – કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી.....
રી – રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....

કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે.

દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?

કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે.

દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.

હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ?

એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું :

પપ્પા, તમે રડો નહીં. તમે રડો છો તેથી મને પણ રડવું આવે છે.

આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.

કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી.

દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે :

‘પપ્પા, હું જાઉં છું… મારી ચિંતા કરશો નહીં... તમારી દવા બરાબર લેજો અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે:

સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?

પોતે ના ચડી શકો તો બીજા માટે નિસરણી જરૂર બનવું – પ્રેરણાત્મક કથા


બિહારના રહેવાસી ડો. મોતીર રહેમાને ત્રણ વિષયમાં અનુસ્નાતક અને ઇતિહાસમાં પીએચડી કર્યું છે. એના પપ્પા પોલીસ સબ ઇન્સપેક્ટર હતા એટલે રહેમાનને આઇપીએસ ઓફિસર બનવાની ઈચ્છા હતી. અભ્યાસ પૂરો કરીને આઇપીએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી પણ સફળતા ના મળી. રહેમાને બીજી નાની મોટી પરીક્ષાઓ પાસ કરી પણ આઇપીએસ બનવાનું સપનું અધૂરું રહી ગયું.

સપનું પૂરું ના થવાથી હતાશ થવાના બદલે રહેમાને બીજાના સપનાઓને સાકાર કરવા માટે એક અભિયાન ચાલુ કર્યું. રહેમાને એક સાવ સામાન્ય મકાનમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે કોચિંગ કલાસ શરુ કર્યાં. એકદિવસ એક છોકરો આ કોચિંગ સેન્ટર પર આવ્યો. ખુબ ગરીબ પરિવારના આ છોકરાના પિતા પણ અવસાન પામ્યા હતા. છોકરાને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હતી પણ કલાસની ફી ભરવા માટે કોઈ રકમ નહોતી. એની માં પારકા ઘરના કામ કરીને માંડ માંડ બે ટંક ખાવાની વ્યવસ્થા કરી શકતી એમાં છોકરાની કલાસની ફી કેમ ભરવી ?

ડો. રહેમાને જોયું કે છોકરો બહુ હોશિયાર છે અને મહેનત કરે તો યુપીએસસી પણ પાસ કરી શકે તેમ છે એટલે એમણે પેલા છોકરાને કહ્યું, “બેટા, હું તને મફતમાં તો નહિ ભણાવું. તારે ભણવું હોય તો ફી તો આપવી પડશે પણ તારા માટે આખા કોર્સની ફી હું માત્ર 11 રૂપિયા લઈશ જેમાં તને વાંચવા માટેનું બધું મટિરિયલ પણ મળી જશે.” છોકરો તો રાજીનો રેડ થઈ ગયો. ડો.રહેમાને આ છોકરાને દિલથી ભણાવ્યો. પિતાની જેમ પ્રેમ પણ આપ્યો જેના પરિણામ રૂપે આ છોકરાએ દુનિયાની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આ વિધવા માતાનો ગરીબ દીકરો અત્યારે ઓરિસ્સામાં કલેકટર છે.

આ ઘટના પછી ડો.રહેમાન અને એની પત્ની અનિતાએ નક્કી કર્યું કે જેને અધિકારી બનવાની ઈચ્છા હોય પણ ભણવા માટેના પૈસા ના હોય એવા વિદ્યાર્થીઓને માત્ર 11 રૂપિયાના ટોકન દરથી ભણાવવા. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોઈ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર જ પ્રવેશ આપવો. “અદમ્ય અદિતિ ગુરુકુળ ” નામની આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 5 આઈએએસ ઓફિસર અને 60 આઇપીએસ ઓફિસર તૈયાર થયા છે. આ ઉપરાંત બીજા 3000 જેટલા વિદ્યાર્થીઓ સરકારની નાની-મોટી નોકરીમાં અધિકારી કે કર્મચારી તરીકે જોડાઈ ગયા છે.

આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે હવે તો બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, ઝારખંડ અને મધ્યપ્રદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. ભણવા માટે કેટલી ફી ભરવી એ વિદ્યાર્થીઓએ જાતે જ નક્કી કરવાનું હોય છે. ઓછામાં ઓછી રૂપિયા 11 અને વધુમાં વધુ વિદ્યાર્થીઓની જે ઈચ્છા હોય એટલી ફી ભરી શકે. સંસ્થા ચલાવવા માટે આ સંસ્થામાંથી ભણીને આગળ વધેલા વિદ્યાર્થીઓ પણ આર્થિક મદદ કરતા રહે છે.

ડો. રહેમાનને આજે લોકો ગુરુ રહેમાન તરીકે ઓળખે છે. અનેક બાળકોના અંધારિયા જીવનમાં પ્રકાશ પાથરનાર ડો. રહેમાન જેવી વ્યક્તિઓ જ ભારતની સાચી ઓળખ છે. અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કહે છે કે એ માત્ર અમારા શિક્ષક જ નહિ અમારા પિતા પણ છે. પિતાની જેમ સતત પ્રેમ અને પ્રેરણા આપતા રહે છે એટલે અમારા માટે સફળતા સહેલી બની જાય છે.

ફોટામાં વચ્ચે હાથ જોડીને ઉભેલા આ મહાપુરુષને ભગવાને આઇપીએસ ઓફિસર ના બનાવીને એના દ્વારા ઘણા અધિકારીઓ તૈયાર કરાવ્યા. જીવનમાં બનતી ઘટનાઓને હકારાત્મક રીતે લેવી તો નિષ્ફળતા બીજા કોઈ સ્વરૂપે મોટી સફળતા પાછી આવશે.

આ સ્ટોરી દરેક લાડકવાયી દીકરીઓને સમર્પિત…..



એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું :

આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !

એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !. હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્ય મિત્રે એક વાત કહી :

અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી…

ગમે તો જરૂર શેર કરજો...

Dedicate to all lovely daughters.

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!


એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.

બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે.

હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, “બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે”. નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.

નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા. વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.

ભગવાને હિરાને પુછ્યુ, “અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળવારમાં જ કેમ તુટી ગયા ?” હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, “પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા. પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા.

મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું. 

ગમે તો જરૂર શેર કરજો...

Story : લવ યુ પપ્પા !!


મારી દીકરી ૬-૭ વર્ષની હતી…

ત્યારે એક દિવસ મને પૂછેલું કે, “મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?

મેં કહ્યું બેટા,
“M O T H E R”

પછી એ બોલી, મમ્મા, આમાંથી “M” કાઢી નાખીએ તો શું થાય ?

મેં કહ્યું, “OTHER”.

પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , “જેમ “MOTHER” માંથી “M” નીકળી જાય તો other થઇ જાય,
એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય…!!!”

હું હસી પડી….!!

મેં આગળ પુછ્યુ, “તો FATHER માંથી “F ” નીકળી જાય તો????”
તો એ હસતા હસતા બોલી, “મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય…!!!”

કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.

પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?

કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથે જ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે.

પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતા માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ…. પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.

પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ…પોંખીએ…!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે…સાચ્ચે..!!

એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

ક્રોધને કઈ રીતે કાબુમાં કરાય તેનું એક સુંદર ઉદાહરણ….. જરૂર વાંચજો
એક વકીલે કહેલ, હૃદયસ્પર્શી કીસ્સો…
“રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો..
વધેલી દાઢી, મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ) આવીને કહેવા  લાગ્યા…., આ લ્યો બધાપેપર્સ…..
“બધી જ જમીનો ઉપર સ્ટે. લાવવો છે……
હજુ કાંઈ પેપર્સ વગેરે જોઈતા હોય તો કહો,
અને ખર્ચો કેટલો થશે તે પણ કહિ દો…”
મેં તેમને બેસવાનુ કહ્યુ..
તેઓ ખુરશી ઉપર બેઠા..
તેમના બધાજ પેપરો તપાસ્યા… તેમની પાસેથી ઘણી માહિતી પણ લીધી.. સમય કલાક-સવા કલાક જેવો થઈ ગયો……
મેં તેમને કહ્યુ વડીલ મારે હજુ પણ પેપર્સ ની સ્ટડી કરવી પડશે..
માટે તમે એક કામ કરો તમે હવે ૪ દીવસ પછી આવો. ત્યારે તમને કહીશ
૪ દીવસ બાદ તે ભાઈ ફરી આવ્યા..
પહેલાજ જેવો અવતાર!! ભાઈ બદલ તેમનો ગુસ્સો હજુ સમાયો ન હતો…..
મે તેમને બેસવાનો ઈશારો કર્યો…
પછી મેજ બોલવાની શરૂઆત કરી…
“મે તમારા બધાજ પેપર્સ જોયા વાચ્યા…,
તમે બે ભાઈઓ અને..
એક બહેન,
માં-બાપ ની છત્ર છાયા તમે નાનપણ માં જ ગુમાવી…
તમારૂ શિક્ષણ ૯ મુ પાસ
નાનો ભાઈ M.A.B.ed.
તમે ભાઈના શિક્ષણ માટે શાળા છોડી દીધી.
વનમાં પોતડી પહેરીને ઘણો પરિશ્રમ કર્યો.
કૂવાઓ ગાળવા માં પથ્થરો તોડ્યા…
બાપુઓના ખેતરોમાં કાંઈક એકરો શેરડીઓ વાઢી…
પણ ભાઈના શિક્ષણ માટે રૂપિયાની કમી પડવા ના દીધી..
એક વાર બેન ખેતરમાં ઢોર ચરાવતી હતી..
તમારો ભાઈ શાળા માંથી આવ્યો હતો…. અને કેમ કરીને તે ભેસની પાસેથી પસાર થયો ને ભેસે શીંગડું મારી દીધું હતુ અને તે સંપૂર્ણ શરીરે લોહી-લુહાણ થઈ ગયો ત્યારે તમે તેને બીજા ગામડે ખભા ઉપર નાખીને દવાખાને લઇ ગયા હતા..
ત્યારે તમારી ઉમર દેખાતી ન હતી….
ફક્ત માયા જ દેખાતી હતી….
હા… સાહેબ માં-બાપ પછી હુ જ આમની માં અને હુજ આમનો બાપ… આવીજ મારી ભાવના હતી….
તમારો ભાઈ B.A મા ગયો તમારું હૃદય ભરી આવ્યુ હતુ…. અને ફરી તમે તનતોડ ઉત્સાહ થી રાત દીવસ મહેનત કરવા લાગ્યા..,
પણ અચાનક તેને કેડની નો દુખાવો શરૂ થઈ ગયો..
દવાખાના મા દવાઓ કરી
બહારનુ જે કાઈ કરવાનુ હતુ તે કર્યું…. જે કોઈ કહે તે કર્યું… ઘણી માનતાઓ રાખી……પણ કાઈ ફરક ના પડ્યો…..કીડની મા ઇન્ફેકશન થઈ ગયુ હતુ….
અંતે ડોક્ટરે કીડની કઢાવી નાખવાનુ કીધુ…,
તમે તેને કીડની દાન કરી
ને કહ્યુ તને ઓફિસર બનીને ખૂબ ફરવુ છે…
નોકરી કરવાની છે….
આપણા મા-બાપનુ નામ ઉંચુ કરવાનુ છે ભાઈ..
તને અમારી કરતા વધારે
કીડની ની જરૂર છે….,
અમે તો વનવાસી વનમા રહેનારા માણસો… અમને એક કીડની હોય તો પણ ચાલી જાય…
વકીલ સાહેબ:-
તમે તમારી ઘરવાળી નુ પણ ન સાંભળીને કીડની દાન કરી….
ભાઈ M.A મા આવ્યો.
હોસ્ટેલ મા રહેવા ગયો..
વાર-તહેવારે…. ફરાળ, પકવાન વગેરે ટીફીન લઈને દેવા જતા…
ખેતરમા થતા શીંગુના ઓળા, શેરડી અને કેસર કેરી વગેરે ઘરથી ૨૫ કીમી. દૂર સાઇકલ થી દેવા જતા….
પોતાના મોઢાનો કોળીયો પણ કાઢીને આપી દીધો.
જ્યારે ભાઈને નોકરી લાગી ત્યારે આખા ગામમા હોંશે-હોંશે સાકર વહેંચી…,
૩ વર્ષ પહેલાં ભાઈના લગ્ન થયા…એટલે એણે જ ગોતીને કર્યા… તમે ફક્ત ત્યા હાજર હતા…તો  પણ અભીમાનથી ગજ-ગજ છાતી ફુલાતી સમાતી ન હતી…. હાશ….!!!
ભાઈને નોકરી મળી…
ભાઈના લગ્ન થઈ ગયા
હવે તમને અને બાયડી છોકરાવને સુખ ભોગવવા ના દીવસો આવશે…
પણ.. પણ…. બધુ ઉંધુ થઈ ગયુ…,
લગ્ન થયા તે દીવસ થી ભાઈ એકેય વાર મોટા ભાઈના ઘરે ન આવ્યો…
ઘરે બોલાવીયે તો કહેતો આજે બાયડીને જબાન આપી છે… બહાર જવાનું છે.
ઘરમાં કોઈ દીવસ રૂપિયા પણ દેતો નહી…,
પૈસાનુ પૂછીયે કે ભાઈ આજે છોકરાને ફી ભરવાની છે… તો કહેતો કે હમણાં હુ પોતે જ કરજા મા ડૂબેલો છુ…
ગયા વર્ષે અમદાવાદ મા ફ્લેટ લીધો…
ફ્લેટ વિશે પૂછ્યુ તો કહેતો કે લોન થી લીધો છે….!!!!
બધુ કીધા પછી હુ થોડીવાર થોભ્યો….
પછી બોલ્યો…
હવે તમારૂ કહેવુ એ છે કે તેણે લીધેલી મિલકતો ઉપર સ્ટે. લેવાનો..????
તે ભાઈ તરતજ બોલ્યો
હા..બરાબર….
મે એક ઉંડો શ્વાસ લઈને ધીરેથી કહેવા લાગ્યો.
સ્ટે. લેવાશે…
ભાઈ એ ખરીદી કરેલી મિલકતો મા પણ હિસ્સો મળશે…
પણ….
તમે દીધેલી કીડની પાછી મળવાની નથી….
તમે ભાઈ માટે લોહી-પાણી એક કરી નાખ્યા તે પાછા મળવાના નથી….
તમે એની માટે તમારૂં આયુષ્ય ખર્ચી નાખ્યુ ઈ મળવાનુ નથી
અને મને લાગે છે કે આવા મોટા બલીદાન ની સામે ફ્લેટની કિંમત જીરો છે…
એની નીતિ બદલાઈ ગઈ
એ એના રસ્તા ઉપર ગયો….
તમે શા-માટે એના રસ્તે જવાની તૈયારી કરો છો… પ્લીઝ તમે એ રસ્તે ના જાવ……ભાઈ..
અરે ઇ ભીખારી નીકળ્યો…
તમે દિલ-દાર હતા અને દિલદાર જ રહો….
તમને કાઈ પણ ઓછુ પડશે નહી…..!!!!
ઉલટાનુ હુ તમને કહુ છુ કે બાપ-દાદા ની મિલકત માથી તમારો હિસ્સા મા ખેતી કરો…
અને એનો જે હિસ્સો છે તે એમજ પડતર રહેવા દો….
કોર્ટ-કચેરી કરવા કરતા છોકરાવને ભણાવો…..
ભણી-ગણી ને તમારો ભાઈ બગડી ગયો….
એનો અર્થ એ નથી કે છોકરાવ પણ બગડી જાશે…, છોકરાવ નહી બગડે…..!!!!!
એમણે ૧૦-મિનીટ વિચાર કર્યો….
અંતે બધા પેપર્સ ડોક્યુમેન્ટ પાછા થેલીમાં નાખ્યા…
આંખમા આવેલા આસું લૂછતાં-લૂછતા… કહયુ….
જાવ છુ સાહેબ…..!!!!
આ વાતને ૫ વર્ષ વીતી ગયા……પરમ દીવસે એજ માણસ અચાનક મારી ઓફિસે આવ્યો….
સાથે ગોરો અને ટામેટા જેવી લાલી ધરાવતો છોકરો હતો…
હાથમા કાઈ થેલી હતી
મે આવકાર આપીને કહ્યુ બેસો….
તરતજ તેમણે કહ્યુ…
બેસવા નથી આવ્યો સાહેબ,
પેંડા દેવા આવ્યો છુ… આ મારો છોકરો…..
ન્યુઝીલેન્ડ મા હોય છે…
ગઈ કાલે જ આવ્યો છે…
હવે ગામમાં જ ત્રણ માળનુ ઘર છે….
૮-૯ એકર જમીન લીધી છે…
સાહેબ તમેજ કીધુ હતુ ને કોર્ટ- કચેરીના માર્ગ માં ન જતા…
મે છોકરાના શિક્ષણ નો માર્ગ પકડ્યો ……!!!!!
મારી બંને આંખો છલકાઇ ગઈ… ને હાથમાનો પેંડો હાથમા જ રહી ગયો…
ક્રોધ ને યોગ્ય દિશા આપો તો ફરી ક્રોધિત થવાનો સમય આવતો નથી…
ગમ્મે તેટલું કમાવજો પણ ગર્વ કદી ના કરતા…
કારણ શતરંજની રમત પુરી થયા પછી…
રાજા અને સિપાહી
છેલ્લે એકજ ડબ્બા મા મુકવામા આવે છે…
જીવન ખૂબ સુંદર છે
એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

એકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું !!!


એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે ‘આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. 

ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે.

ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે.

પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે.”

ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ. તમને સમજાણું હોય તો કરો શેર !!

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!


આ ગુજરાત છે કે જ્યાં; ” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે”
આ ગુજરાત છે કે જ્યાં; ” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી”
આ ગુજરાત છે કે જ્યાં; ” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય”
આ ગુજરાત છે કે જ્યાં; ” રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના, મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે”
આ ગુજરાત છે કે જ્યાં; ” ટુ વ્હિલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે”
આ ગુજરાત છે કે જ્યાં; ” દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે”
આ ગુજરાત છે કે જ્યાં; “ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે”
આ ગુજરાત છે કે જ્યાં ના; ” મુખ્યમંત્રી જેવી લોકપ્રિયતા દુનિયામાં એક પણ મંત્રી ની નહીં હોય”….
આવા ગુજરાતનો રહેવાસી હોવાનો મને ગર્વ છે અને તમામ ગુજરાતીઓ ને સલામ કરું છું. છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?
જેમ કે, શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે. ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણ ફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.
અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય. લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ) દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે. મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!

પરફેક્ટ ઘંઘાના પરફેક્ટ સુત્રો… !!


*  વહેલા ઉઠીને કામના સ્થળે પહોચી જાવ,
મોડા ઉઠવું એ ઘંઘાની પડતીની નિશાની છે.

*  પોતાનો ઘંઘો છોડીને બીજાને સમય આપવો નહિ.
સમય સાથે ચાલો અને સમયની બરબાદી કરો નહિ.

*  ઘંઘાના કામ માં દરેક જગ્યાએ સમયસર પહોચી જાવ.
ઘંઘામાં લેટેસ્ટ ટેકનોલોજી નો પૂરે પૂરો ઉપયોગ કરો.

*  બીઝનેસ શરુ કરવો સરળ છે પણ,
તેને ચાલવતા રહેવું એ એક કળા છે.

*  સંપૂર્ણ નિષ્ઠા, મહેનત અને,
પ્રામાણીકતા થી દરેક કામ કરો.

*  મુશ્કેલીમાં ઘીરજ ધારણ કરવી એ,
અડધી લડાઈ જીતવા બરાબર છે.

*  બીજાને નીચે પાડવામાં નહિ પણ પોતાને
ઉપર લાવવાથી સફળતા મળશે.

આ સારા વિચારો તમને અંદરથી હલાવી નાખશે…..


*  જેની પાસે આશા (ઉમ્મીદ) હોય છે તે લાખો વાર હારીને પણ નથી હારતો.


*  સારા વ્યક્તિ બનવા માટે એવી જ કોશિશ કરો જેવી તમે સુંદર દેખાવા માટે કરો છો.


*  પ્રોબ્લેમ વિષે વિચારવાથી બહાના મળે છે અને સમાધાન વિષે વિચારવાથી રસ્તાઓ મળે છે.


*  મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે, પણ પહેલા તેઓ માણસ બનવાનું ભૂલી જાય છે.


*  વાતાવરણને જે મહેકાવે તેને ‘અત્તર’ કહેવાય, જીવનને જે મહેકાવે તેને ‘મિત્ર’ કહેવાય.


*  જીભ નો વજન બહુ ઓછો હોય છે પણ બહુ ઓછા લોકો તેને સંભાળી શકે છે.


*  એક મોઢું અને બે કાન નો અર્થ એ છે કે જો આપણે એક વાત બોલીએ તો ઓછામાં ઓછી બે વાર સાંભળીએ પણ.


*  ખુશ રહેવું હોય તો વધારે ઘ્યાન એ વસ્તુ પર આપો જે તમારી પાસે છે, એના પર નહિ જે તમારી પાસે નથી.


*  સારો સમય હોય તો તમારી ભૂલ પણ મજાક લાગે છે અને સમય ખરાબ હોય તો તમારો મજાક પણ ભૂલ લાગે છે.


*  ભરોસો બહુ મોટી વસ્તુ છે, પોતાના પર રાખો તો તાકાત, બીજા પર રાખો તો કમજોરી.


*  જે સમયે આપણે બીજાનું અપમાન કરીએ છીએ, ખરેખર તે સમયે આપણે પોતાનું સમ્માન ગુમાવી રહ્યા હોઈએ છીએ.


*  ક્યારેક કોઈ પીઠ પાછળ વાત કરે તો ગભરાતા નહિ કારણકે… વાત તો એની જ થાય છે જેમાં ખરેખર કોઈ વાત હોય છે.


*  વ્યક્તિને બધું હાંસિલ નથી થતું જિંદગીમાં… કોઈનું ‘કાશ’ અને કોઈનું ‘પણ’ બાકી રહી જ જાય છે.

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…


લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે!


*  હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે!


*  હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે!


*  સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.


*  ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!


*  સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!


*  પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે!


*  પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે…


*  દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ…. દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?


*  દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ….. દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !!


*  દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!


*  દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન….


*  એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી…..


*  દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત…


*  દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું…..


*  દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ…. દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર…


મિત્રો પસંદ આવે તો અચૂક શેર કરજો !!

વાંચો આ મોટીવેશન સ્ટોરી…..


એક નગરમાં ચિત્રકાર રહેતો હતો. તેણે ખૂબજ સૂંદર ચિત્ર દોરી જાહેરમાં મૂક્યુ ને નીચે લખ્યુ કે જેણે આ ચિત્રમાં ભૂલ જણાતી હોય તે સુધારો કરે.

બીજા દીવસે જોયુ તો આખા ચિત્રમાં એકલા લીટા જ લીટા. ચિત્ર દેખાય જ નહી તેટલા લીટા.
બીચારો ચિત્રકાર દુખી થઈ ગયો.

એક સમજુ વ્યક્તિ એ તેને સલાહ આપી કે હવે એક કામ કર ફરી એકવાર આબેહૂબ એવુ જ ચિત્ર દોર અને બાજુમાં કોરુ કાગળ બીજુ લગાવ, અને તેમાં સુચના લખ કે જે મારા કરતા સારુ ચિત્ર દોરી બતાવશે તેને હું ઈનામ આપીશ.

ચિત્રકારે આવુ કર્યુ અને તેણે મહીનાઓ સુધી રાહ જોઈ કે કોઈક સામે આવે ને ચેલેન્જ ઊઠાવે પરંતુ કોઈ સામે ન આવ્યુ.

કહેવાનો તાત્પયઁ એક જ છે નરેન્દ઼ મોદી રૂપી ચિત્રકારના, દેશના વિકાસરૂપી ચિત્રમાં લીટા પાડનારા ધણા છે પરંતુ, દેશ માટે તેના કરતા સારુ ચિત્ર દોરનાર કોઈ નથી. માટે ચાલો આપણે લીટા પાડનારા ન બનીએ પરંતુ, દેશના વિકાસમાં ભાગીદાર બનીએ, એક ગુજરાતી એ લીધેલા નિર્ણયને સાચો ઠેરવીને બંધ ના એલાન ને નિષ્ફળ બનાવીએ.

કડવું છે પણ વિચારવા અને સમજવા જેવું છે….

* અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

 

* આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ગભરાઈ જઈએ છીએ. 

* આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ.

 

* કોઈ હિરોઈન ના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે. 

* ભારતીય ખુબ શર્મિલા હોય છે, તેમ છતાય ૧૨૧ કરોડ છે.

 

* જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમ માં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે. 

* આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

 

* હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

 

* ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યા જ નથી. 

* સન્ની લીઓન, પૂનમ પાંડે અને આલીઆ ભટ્ટ જેવીઓને લોકો સેલીબ્રેટી બનાવી દે છે. પણ સમાજથી દબાયેલી, કચડાયેલી, અત્યાચાર થયેલી સ્ત્રીઓને કોઈ નથી અપનાવતું.

 

* અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે. 

* મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખ માં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

 

…પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી

" ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. 
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.
રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો. પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"
ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."
ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.
( સત્યઘટના )